વાંકાનેર તાલુકાના રાજસ્થળી ગામની સીમમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની અખિલેશ ચન્દ્રબલી યાદવ નામના યુવાને ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર શ્રી હરી એન્ટરપ્રાઇજ સેન્ડ સ્ટોનના પ્લાન્ટની ઓરડીમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તેને તાત્કાલિક પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તપાસી તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.




