મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતામાં મોરબીમાં નીકળનાર તાજીયા અન્વયે મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને તાજીયા કમિટીના આગેવાનો સાથે બેઠક કરવામાં આવી હતી.
આ તકે, બેઠકમાં વીજ વાયરો અંગે તકેદારી રાખવા તેમજ વરસાદી વાતાવરણ હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સૂચના આપવામાં આવી હતી. આ સાથે કોઈ ખોટી અફવા પર ધ્યાન ન આપવા તેમજ કોમી એકતા સાથે તહેવારની ઉજવણી ક૨વાના સૂચનો આપવામાં આવ્યા હતા.




