Sunday, April 19, 2026
HomeGujarat'તેરા તુજકો અર્પણ', વાંકાનેર સિટી પોલીસે 11 અરજદારોના ખોવાયેલા ફોન પરત કર્યા 

‘તેરા તુજકો અર્પણ’, વાંકાનેર સિટી પોલીસે 11 અરજદારોના ખોવાયેલા ફોન પરત કર્યા 

Advertisement
Advertisement

વાંકાનેર સીટી પોલીસ ટીમે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 1.92 લાખની કિંમતના 11 ખોવાયેલા મોબાઈલ શોધી કાઢી અરજદારોને પરત આપી પોલીસ પ્રજાનો મિત્ર છે તે ઉક્તિ ખરા અર્થમાં સાર્થક કરી હતી.

વાંકાનેર વિભાગના ડીવાયએસપી એસ. એચ. સારડા અને વાંકાનેર સીટી પીઆઈ એચ. એ. જાડેજા તેમજ વાંકાનેર તાલુકા પીઆઈ બી.વી.પટેલના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પોલીસ, વાંકાનેર તાલુકા પોલીસ મથકના અરજદારોના ખોવાયેલા/ચોરાયેલા મોબાઈલ શોધી કાઢવા ટીમે CEIR પોર્ટલનો ઉપયોગ કરી પોર્ટલમાં એન્ટ્રી કરી સતત મોનીટરીંગ કરી ટેકનીકલ વર્ક આઉટ કરતા અરજદારોના ખોવાયેલા 11 મોબાઈલ કી. રૂ.1,92,292 ના શોધી કાઢી અરજદારોને પરત સોંપ્યા હતા.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular