વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ સ્પૂનવેબ નામના કારખાનામાં પ્લમ્બિંગ કામ કરવા ગયેલા જોધપર ગામના નાસિરભાઈ અબ્દુલભાઇ ખોરજીયા (ઉ.વ.28) નામના યુવાનને કામ કરતી વખતે વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.




