મોરબીના ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતીકાલે તા.2 ને શનિવારના રોજ મેઇન્ટનન્સની કામગીરી માટે વીજપુરવઠો બંધ રાખવામાં આવશે.
જેમાં 11 કેવી સિલ્ક ind. ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં સવારે 8 થી સાંજે 6 કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેશે તેમજ કામગીરી પૂર્ણ થતા કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.




