મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલા સરદારનગર-3 માં રહેતા કૌશિકભાઈ નરભેરામભાઈ બારૈયા ગઈકાલે પોતાના ઘેર હતા ત્યારે અચાનક ઉલટી થતા બેભાન થઈ ગયા હતા. જેથી તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.
આ બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.




