મોરબીના મકનસરમાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના વતની શંકરભાઈ સવાભાઈ સત્રોટીયાએ ગઈકાલે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, મકનસર ગામના વતનીએ ગામના સ્મશાનમાં ઝાડની ડાળી સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. તો આ બનાવની જાણ થતાં તેમને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કર્યા હતા.
આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.




