મોરબીની સંસ્કાર રેસિડન્સી, કૃષ્ણા સ્કૂલ શેરીમાં પ્રાચીન પરંપરા મુજબ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અહીં માતા બહેનો સહ પરિવાર સાથે ભારતીય પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ ગરબે ઝૂમીને માતાજીની આરાધના કરે છે.
નવરાત્રીની આ અનોખી ઉજવણીમાં લોકોએ ભક્તિભાવ સાથે માતાજીના સ્તુતિગીતો ગાઈ પરંપરાગત રાસ અને ગરબા રમ્યા હતા. આ પ્રસંગે શ્રદ્ધા અને નયનરમ્ય વાતાવરણ છવાયું હતું.




