મોરબીમાં વિકાસકાર્યોને મજબૂત બનાવવાના પ્રયત્નોના ભાગરૂપે, શહેરમાં ₹ 17.29 કરોડના ખર્ચે 18 વિવિધ કામોના ખાતમૂહૂર્ત તેમજ ₹ 1.03 કરોડના ખર્ચે સરદાર બાગના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ તા. 30 સપ્ટેમ્બર, 2025 ને મંગળવારના રોજ સાંજે 5.00 વાગ્યે સરદાર બાગની સામે, ઓમ શાંતિ સ્કૂલની બાજુમાં આવેલ ગ્રાઉન્ડમાં યોજાશે.
કાર્યક્રમમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને ભારતીય જનતા પાર્ટી, મોરબી શહેર તરફથી લોકો, કાર્યકર્તાઓ, ભાઈઓ અને બહેનોને ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ સમારોહમાં વિકાસકાર્યોના લાભાર્થીઓ સહિત, મોરબીના નાગરિકોએ પણ હાજરી આપવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. ખાતમૂહૂર્ત તથા લોકાર્પણ કાર્યોની વિગત સાથેની યાદી કાર્યક્રમમાં આપવામાં આવશે.




