મોરબીના ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલે મેન્ટેનન્સના કામને કારણે વીજ પુરવઠો બંધ રહેશે. પીપળી જેજીવાય ફીડર પર સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.
જેમાં તુલસી પાર્ક, સાનિધ્ય પાર્ક, મિલી પાર્ક, ધર્મમંગલ સોસાયટી, સીએનજી પમ્પ, સિદ્ધિ વિનાયક પાર્ક, મહેન્દ્રનગર ચોકડી આજુબાજુના કોમર્શિયલ કનેક્શન, ક્રાંતિ જ્યોત પાર્ક, પ્રભુકૃપા ટાઉનશીપ, મહેન્દ્રનગર જુનાગામ, નીલકંઠ પાર્ક, પ્રભુકૃપા રેસીડેન્સી, હરિગુણ રેસીડેન્સી, નવી પીપળી તથા જૂની પીપળી વિસ્તારમાં વીજ પુરવઠો પ્રભાવિત રહેશે. વીજ ગ્રાહકોને તકેદારી રાખવા અને જરૂરી તૈયારીઓ સમયસર કરી લેવા સૂચન આપવામાં આવ્યું છે.




