HomeMorbiમોરબી સબ જેલમાં રમઝાન ઈદ નિમિત્તે નમાજ અદા, બંદિવાનોને શુભકામનાઓ પાઠવાઈ
મોરબી સબ જેલમાં રમઝાન ઈદ નિમિત્તે નમાજ અદા, બંદિવાનોને શુભકામનાઓ પાઠવાઈ
મોરબી; તા. ૨૧ માર્ચ ૨૦૨૬ રમઝાન ઈદના પવિત્ર તહેવાર નિમિત્તે મોરબી સબ જેલ ખાતે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જેલમાં રહેલા મુસ્લિમ બંદિવાનો માટે નમાજ અદા કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.જેમાં બંદિવાનોએ શ્રદ્ધા અને ભક્તિભાવથી નમાજ અદા કરી હતી.
આ પ્રસંગે જેલ અધિકારીઓ દ્વારા તમામ મુસ્લિમ બંદિવાનોને રમઝાન ઈદની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. તહેવારના અવસરે જેલમાં ધાર્મિક અને શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો.