હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા લાલજીભાઈ શંકરભાઈ લકુમ (ઉ.વ.30) નામનો યુવાન ધુની સ્વભાવનો હોવાથી લગ્ન ન થતા હોય એકલવાયા જીવનથી કંટાળી જઈ ગઈકાલે પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું છે. જેથી પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.
આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.




