Tuesday, May 5, 2026
HomeGujaratમોરબીના ધુળકોટ ગામે સ્વામિનારાયણ મંદિરમાં દર્શને ગયેલી મહિલાને જાતિ પ્રત્યે હળધુત કરી...

મોરબીના ધુળકોટ ગામે સ્વામિનારાયણ મંદિરમાં દર્શને ગયેલી મહિલાને જાતિ પ્રત્યે હળધુત કરી મારી નાખવાની ધમકી આપી

Advertisement
Advertisement

મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતી મહિલા સ્વામિનારાયણ મંદિરમાં ગયા હતા જેનો ખાર રાખી ત્રણ શખ્સોએ મહિલાને જાતી પ્રત્યે હડધૂત કરી સોરીયા વડે માર મારી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ, મોરબીના ધુળકોટ ગામે રહેતા નીમુબેન રમણીકભાઇ પરમાર (ઉ.વ.45) એ આરોપી જેરામભાઇ ચકુભાઇ રાઠોડ, નરેશભાઇ જેરામભાઇ રાઠોડ, લાલભાઇ જેરામભાઇ રાઠોડ રહે ત્રણેય ધુળકોટ તા. જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીઓએ ફરીયાદી એકાદ માસ પહેલા પોતાના ધુળકોટ ગામે આવેલ સ્વામીનારાયણ ભગવાનના મંદીરમા ગયેલ હોય તેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીને જાતિ પ્રત્યે અપમાનીત કરી મંદીરમા પ્રવેશ કર્યો હતો એમ કહી ત્રણેયના હાથમા રહેલ સોરીયાના હાથા વડે ફરીયાદીના વાસાના ભાગે માર મારી હવે આને મુકવી નથી તેમ કહી ધમકી આપી જેમ ફાવે તેમ ગાળો આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular