મોરબીના નવલખી રોડ પર આવેલા કુબેરનગ૨માં ત્રિલોકધામ મંદિર પાસે રહેતા દિલીપભાઈ નાથાલાલ પરમાર (ઉ.વ.63) નામના વૃદ્ધને ગઈ કાલે શ્વાસની તકલીફ થયા બાદ જમીન પર પડી જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવતા હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.




