HomeGujaratમોરબીની નવયુગ B.Sc. કોલેજના છાત્રોએ પીએમને જન્મદિવસે લખ્યા હ્રદયસ્પર્શી પત્રો 

મોરબીની નવયુગ B.Sc. કોલેજના છાત્રોએ પીએમને જન્મદિવસે લખ્યા હ્રદયસ્પર્શી પત્રો 

નવયુગ B.Sc. કોલેજમાં ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 માં જન્મદિન નિમિત્તે એક વિશિષ્ટ અને ભાવનાપૂર્ણ કાર્યક્રમ યોજી અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓએ દેશના પ્રધાનસેવક પ્રત્યે પોતાની ભાવનાઓ વ્યક્ત કરતા હૃદયસ્પર્શી પત્રો લખી તેમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી.

ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓએ લખેલા પત્રોમાં મોદીના જીવન સંઘર્ષ, તેમના દેશભક્તિભર્યા નેતૃત્વ અને યુવાનોને નવી દિશા આપનાર પ્રેરણાસ્ત્રોત તરીકેના અભિગમોની પ્રસંશા કરવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યક્ર્મ નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Most Popular