મોરબીના નેશનલ હાઇવે નજીક આવેલી જનકપુરી સોસાયટીમાં ચાર શખ્સોએ પોલીસને હથિયાર અંગે બાતમી આપ્યાનો ખાર રાખી છરી વડે હુમલો કરી યુવકને ઇજાઓ પહોંચાડી હતી.
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, મોરબી કચ્છ નેશનલ હાઇવે પર જનકપુરી સોસાયટીમાં રહેતા ફરિયાદી મનોજભાઈ ઉર્ફે શનિભાઈ બળદેવભાઈ સોલંકી (ઉ.વ.40) નામના યુવાન પર અગાઉ હથિયાર સાથે ઝડપાયેલા આરોપી પાર્થ અમિતભાઈ અને અમિતભાઈ તેમજ અન્ય બે અજાણ્યા શખ્સોએ પોલીસને બાતમી આપી હોવાની શંકાએ હીચકારો હુમલો કરી છરીના ત્રણ ઘા મારી દેતા આ બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.




