મોરબીના નાની વાવડી ગામના રહેવાસી રાજેશભાઈ નારાયણભાઈ મિયાત્રા (ઉ.વ.43) એ પંચાસર ગામે મેલડી માતાજીના મંદિર પાસે કોઈ કારણસર ઝેરી દવા પી લીધી હતી. જે બાદ રાજેશભાઈને તાત્કાલિક સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા.
આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.




