મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલે મેઇન્ટનન્સ તથા નવા ટ્રાન્સફોર્મર (ટીસી) સ્થાપનનાં કામકાજને કારણે વિજ પુરવઠો બંધ રહેશે.
હરિપર જેજીવાય ફીડર પર સવારે 8:00 કલાકથી બપોરે 3:00 કલાક સુધી વીજ કાપ રહેશે. આ સમયગાળા દરમિયાન જુના સાદુળકા, નવા સાદુળકા, લક્ષ્મીનગર, ભરતનગર સહિતના ગામો તથા તમામ રહેણાંક, વાણિજ્યિક અને ઔદ્યોગિક (એચ.ટી.) વીજ જોડાણોમાં વિજ પુરવઠો ઉપલબ્ધ રહેશે નહીં.




