મોરબીના વિધ્યુતાનગર વિસ્તારમાં સર્કિટ હાઉસ સામે રહેતી એક પરિણીત મહિલાએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યાનો દુઃખદ બનાવ બન્યો છે. મળતી માહિતી અનુસાર, શીતલબેન પુનિતભાઈ દેવઇતત (ઉં. 28) કોઈ અગમ્ય કારણસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો, જેના કારણે તેમનું મોત નિપજ્યું હતું.
આ બનાવની જાણ થતાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ અંગેની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.




