મોરબી શહેર સહિત જિલ્લામાં ઠેર ઠેર નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન થાય છે. અર્વાચીન ગરબા મહોત્સવની ઝલકીઓ વચ્ચે, મોરબીની ચિત્રકૂટ સોસાયટી શેરી નં. 6માં દરરોજ ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અહીંની ગરબા પરંપરા 15 વર્ષથી ચાલુ છે અને નવરાત્રિના દરમિયાન માં આધ્યશક્તિની આરાધનાથી ભક્તિમય માહોલ સર્જાય છે. મહિલાઓ અને દીકરીઓ પરંપરાગત વેશભૂષામાં સુશોભિત થઈ, રોજ શેરીમાં ગરબા રમીને આદ્યશક્તિની પૂજા કરે છે. શેરીમાં ગરબાની ધૂન અને નૃત્યથી લોકોએ ઉલ્લાસભર્યો અહેસાસ અનુભવ્યો છે.




