મોરબી તાલુકાના ભડીયાદ નજીક પેન્જોન સિરામિક લેબર કોલોનીમાં રહેતા પાલસીંગ બ્રિજરાજસીંગ (ઉં. ૩૨) નામના યુવકે કોઈ કારણસર પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં આસપાસ ખળભળાટ મચ્યો હતો.
મોરબી તાલુકા પોલીસે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી તેમજ મૃત્યુ અંગે નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.




