નવરાત્રી પર્વ પૂર્ણ થયા બાદ 2 ઓક્ટોબરના રોજ વિજયા દશમી (દશેરા) પર્વની ઉજવણી મોરબીમાં ભવ્ય રીતે થવાની છે. પરંપરાગત રીતે સોસાયટી વિસ્તારોમાં રાવણ દહનના કાર્યક્રમો યોજાતા આવ્યા છે, પરંતુ આ વર્ષે પ્રથમ વખત મોરબી મહાનગર પાલિકા દ્વારા સત્તાવાર રીતે રામલીલા અને રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ 2 ઓક્ટોબરે સામા કાંઠે આવેલ એલ.ઈ. કોલેજ ગ્રાઉન્ડ ખાતે સાંજે 7 વાગ્યે યોજાશે. પહેલા રામલીલા નાટકનું આયોજન થશે ત્યારબાદ રાવણ દહન કરવામાં આવશે.
મોરબી મનપાના ડે. કમિશ્નર કુલદીપસિંહ વાળાએ જણાવ્યું કે, મોરબીવાસીઓએ આ કાર્યક્રમમાં જોડાઈ પરંપરાગત પ્રસંગની ઉજવણીમાં સહભાગી થવું જોઈએ.




