મોરબી તાલુકાના જેપુર નજીક આવેલ ત્રિમંદિર પાસે માણેકવાડા ગામના યુવાને અજાણ્યા કારણસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે.
વિગતો મુજબ, હરેશભાઈ મનસુખભાઈ ચનીયારા (ઉ.વ. 35) નામના યુવાને તા. 6 ના રોજ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. તેને તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું અવસાન થયું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધી તપાસ શરૂ કરી છે.




