માળીયા મીયાણા તાલુકાના નવાગામ સીમમાં આવેલ કૂવામાં પડી ડૂબી જતાં એક યુવકનું મોત થયાનું બહાર આવ્યું છે.
મળતી માહિતી મુજબ કોળીવાસ, માળીયા મીયાણાના રહેવાસી ગોવિંદભાઈ અરજણભાઈ વાઘેલા (ઉંમર 40) કોઈ કારણસર કૂવામાં પડી ગયા હતા. ડૂબી જવાથી તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
માળીયા તાલુકા પોલીસે ઘટનાની નોંધ લઇ આગળની તપાસ શરૂ કરી છે.




