Sunday, April 19, 2026
HomeGujaratટંકારાની લતીપર ચોકડી પાસે રોડ પર એસટી બસ સાથે ટ્રક અથડાઈ; ટ્રક...

ટંકારાની લતીપર ચોકડી પાસે રોડ પર એસટી બસ સાથે ટ્રક અથડાઈ; ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ 

Advertisement
Advertisement

મોરબી રાજકોટ હાઈવે રોડ પર ટંકારાની લતિપર ચોકડીના ઓવરબ્રિજના છેડે ટ્રક એસટી બસ સાથે અથડાતા બસમાં ૫૦ હજારનું નુકસાન થયું હોવાથી આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ ગીર સોમનાથ જિલ્લાના ઘુંસિયામાં રહેતા અને નોકરી કરતા હા ઉત્તમકુમાર રામદેવભાઈ સોલંકી (ઉ.વ.૩૩) એ આરોપી ટ્રક ચાલક નવલકિશોર સુરજીતકુમાર રહે. પંજાબવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલાવાળો ટાટા કંપનીના ટ્રક રજીસ્ટર નંબર GJ-12- BV- 4771 વાળો પુર ઝડપે અને ગફલતભરી રીતે મનુષ્યની જીદગી જોખમાઇ તે રીતે ચલાવી આવી ધડાકાભેર ફરીયાદીની એસ.ટી. બસ રજીસ્ટર નં.GJ-18-Z-9339 સાથે અથડાવી હડફેટે લેતા ફરીયાદીની એસ.ટી. બસને જમણી બાજુના દરવાજા તથા જમણીબાજુની બારીને નુકસાન પહોચાડી અકસ્માત કરી એસ.ટી. બસને આશરે રૂ.૫૦,૦૦૦ થી વધુનુ નુકશાન કરી ગુન્હો કર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular