HomeMorbiમોરબીમા સ્વ.જતીનભાઈ આડેસરાના આઘાતજનક અવસાનના પગલે આજે સાંજે કેન્ડલ માર્ચ અને મૌન...
મોરબીમા સ્વ.જતીનભાઈ આડેસરાના આઘાતજનક અવસાનના પગલે આજે સાંજે કેન્ડલ માર્ચ અને મૌન રેલીનું આયોજન
મોરબી શહેરમા સોની સમાજના યુવાન જતીનભાઈ રસિકભાઈ આડેસરા (ઉં.વ. ૩૩) ની નિર્મમ હત્યા કરી મોત નિપજાવ્યું હોય જેથી આઘાતજનક અવસાનને પગલે, સદગતના દિવ્ય આત્માની શાંતિ અર્થે આજે મોરબીમાં એક કેન્ડલ માર્ચ અને મૌન રેલીનું આયોજન કરવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે આ કપરા સમયે શોકાતુર પરિવારને સાંત્વના પાઠવવા અને સદગતને શ્રદ્ધાંજલિ આપવા માટે બેસણાં બાદ આ રેલી કાઢવામાં આવશે. મોરબીના સોની સમાજ તેમજ અન્ય તમામ સમાજના વેપારી મિત્રો અને નાગરિકોને આ દુઃખની ઘડીમાં સદગતના પરિવાર સાથે સહભાગી થવા નમ્ર અપીલ કરવામાં આવી છે.
આ કેન્ડલ માર્ચ તારીખ: ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવાર (આજે) ના રોજ સાંજે ૬:00 વાગ્યે સિધ્ધિ વિનાયક હોલ, સત્યમ પાન વાળી શેરી (બેસણાના સ્થળથી) પ્રસ્થાન સ્થાન કરશે અને ઘટના સ્થળ, રંગોલી આઈસ્ક્રીમ, સરદાર બાગ પાસે સમાપન કરવામાં આવશે.