HomeMorbiમોરબીમાં વ્યાજખોરીનો કાળો ચહેરો: 50 હજારના બદલે 1.50 લાખની બળજબરી ઉઘરાણી, કાર...
મોરબીમાં વ્યાજખોરીનો કાળો ચહેરો: 50 હજારના બદલે 1.50 લાખની બળજબરી ઉઘરાણી, કાર કબજે કરી ધમકીઓ
મોરબી શહેરમાં વ્યાજખોરીનો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જિલ્લામાં વ્યાજખોરીના કેસોમાં વધારો થતો હોવા છતાં કાયદેસરની કાર્યવાહી પૂરતી અસરકારક સાબિત ન થતાં આવા બનાવો વધતા જાય છે. ત્યારે મોરબી શહેરમાં વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જેમાં વેપારીને વ્યાજખોરોએ ૫૦ હજાર રૂપિયા વ્યાજે આપી તેની સામે ૧,૫૦,૦૦૦ ની ઉઘરાણી કરી હતી અને કાર પડાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શક્ત શનાળા જુના ગામમાં રહેતા અને વેપાર કરતાં અરવિંદભાઈ હરજીભાઈ પનારા (ઉ.વ.૪૫) એ આરોપી ભરતભાઈ કાળુભાઈ ગોગરા રહે. લિલાપર રોડ બોરીચા વાસ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપી પાસેથી દસ દિવસ માટે રૂ.૫૦,૦૦૦/-વ્યાજે લીધેલ અને એસેન્ટ કાર નં.GJ-01-KN-8225 વાળી ગીરવે રાખેલ બાદ ફરીયાદી આરોપીને પૈસા પરત આપવા જતા વ્યાજ સહીત રૂ.૧,૫૦,૦૦૦/- ની બળજબરી પુર્વક પઠાણી ઉઘરાણી કરી ફરીયાદી તથા તેમના પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો આપતા કાર પરત નહી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.