HomeMorbiહળવદમાં 20 વર્ષની યુવતીનો આપઘાત: દુષ્કર્મ કેસ બાદ મળતી ધમકીઓથી કંટાળી જીવન...
હળવદમાં 20 વર્ષની યુવતીનો આપઘાત: દુષ્કર્મ કેસ બાદ મળતી ધમકીઓથી કંટાળી જીવન ટૂંકાવ્યાનો આરોપ
હળવદ પંથકમાં એક ચકચારી ઘટના સામે આવી છે. દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપી પક્ષ તરફથી સતત ધમકીઓ મળતી હોવાના આક્ષેપ વચ્ચે 20 વર્ષીય યુવતીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મામલે રાજકોટના ત્રણ શખ્સો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મૃતકની માતા દ્વારા આરોપી ધર્મેન્દ્ર જીતેન્દ્રભાઈ પરમાર ના પત્ની, સંજયભાઈ જીતેન્દ્રભાઈ પરમાર, તથા મનીષાબેન સંજયભાઈ પરમાર રહે. ત્રણે રાજકોટ મેટોડા હાઈવે ઉપર હરીપર ના પાટીયા પાસે કાલાવડ રોડ રાજકોટવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના શો-રૂમમાં નોકરી પર હતી, ત્યારે ધર્મેન્દ્ર ત્યાં આવ્યો હતો અને યુવતી સાથે ઝઘડો કરી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આ બાબતની જાણ યુવતીએ તેના પરિવારને કરતાં, તેના માસાએ ધર્મેન્દ્રને સમજાવવા ફોન કર્યો હતો. પરંતુ ધર્મેન્દ્રએ સુધરવાના બદલે “સમાધાન કરી લો નહીંતર છરીના ઘા મારી દઈશ” તેવી ગંભીર ધમકી આપી હતી. આ અંગે યુવતીએ મોરબી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી ધર્મેન્દ્રભાઇ વિરૂદ્ધ ફરીયાદ કરેલ હોય જેથી ત્રણેય આરોપીઓ ફરીયાદ બાબતે અવાર નવાર ફોન કરી સમાધાન કરી લેવા જણાવી ધમકીઓ આપી યુવતીને મરવા માટે મજબુર કરતા ત્રણેય આરોપીઓના ત્રાસથી કંટાળી જતા યુવતી પોતાની જાતે પોતાના ઘરે રૂમના છતના હુકમા સાડીથી ગળે ફાંસો ખાઈ લેતા મરણ ગયેલ છે. આમ ત્રણેય આરોપીઓએ મરણજનારને મરવા માટે મજબુર કરી ગુન્હો કર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સહિતા ૨૦૨૩ ની કલમ-૧૦૮ ૩૫૧(૩) ૫૪ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.