Wednesday, April 22, 2026
HomeMorbiવ્યાજખોરો નો ત્રાસ યથાવત, ઉઘરાણી કરી યુવકને માર માર્યો

વ્યાજખોરો નો ત્રાસ યથાવત, ઉઘરાણી કરી યુવકને માર માર્યો

Advertisement
Advertisement

મોરબી શનાળા રોડ પર શાન્તી સ્કૂલ પાછળ ધરતી એપાર્ટમેન્ટમાં બીજા માળે ફ્લેટ નં -૦૬ માં રહેતા ચિરાગભાઈ મહેશભાઈ ગૌસ્વામી (ઉ.વ.૩૫) એ આરોપી શિવમભાઈ રબારી, હિરાભાઇ રબારી તથા ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી શિવમભાઇ રબારી પાસેથી ફરીયાદીએ વ્યાજવા રૂપિયા લીધેલ જેના માટે ફરીયાદીને વાત કરવા માટે મોરબી રવાપર રોડ આવેલ સેલ પંપની સામે આવેલ આરોપી શિવમભાઈની હોથલ ફાઇનાન્સની ઓફીસે બોલાવી ત્યાં ફરીયાદી પાસે વ્યાજના વધુ રૂપિયાની માંગણી કરી ઓફીસે હાજર આરોપીઓએ ફરીયાદીને લાકડી વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular