માનસિક બીમારીને કારણે ઘેરથી નીકળી ગયેલા વિરમગામના આધેડ ગઈકાલે માળીયા મિયાણા – વાધરવા રેલવે ટ્રેક પર ટ્રેનની હડફેટે આવી જતા શરીરે ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, માળીયા મિયાણા – વધારવા રેલવે ટ્રેક પર ગઈકાલે ખોડાભાઈ દેવાભાઈ સેનવા (ઉ.વ.51) નામના પુરુષનું ટ્રેનની હડફેટે આવી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.
આ ઘટના અંગે મૃતકના પુત્ર રાહુલભાઈએ જણાવ્યું હતું કે, તેમના પિતાને માનસિક બીમારી હોવાથી બે દિવસ પહેલા ઘેરથી નીકળી ગયા હતા અને રેલવે ટ્રેક પર ચાલતા હતા તે દરમિયાન આ ઘટના ઘટી હતી.
જેથી માળીયા મિયાણા પોલીસે આ બનાવ અંગે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.




