HomeGujaratપ્રાણજીવનભાઈ ધનજીભાઈ કાંજીયાને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ

પ્રાણજીવનભાઈ ધનજીભાઈ કાંજીયાને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ

આજે તા. 10 ને શુક્રવારે, નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પ્રાણજીવનભાઈ ધનજીભાઈ કાંજીયા (પી.ડી. કાંજીયા) સાહેબનો જન્મદિવસ છે. કાંજીયાસર પોતાના જન્મદિવસની ઉજવણી હંમેશા અનોખા રીતે, સમાજસેવા, રાષ્ટ્રસેવા અને ધર્મભાવથી ભરેલી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા કરતા આવકાર્યા છે.

” યત્ર નાર્યેસ્તુ પુજયન્તે રમન્તે તત્ર દેવતાઃ ” આ પંક્તિના મર્મને જીવંત કરતા, કાંજીયાસર પોતાના જીવનમાં નાની કિશોરીઓને દત્તક લઈને તેમના શિક્ષણ, કપડા, પુસ્તક અને જીવનભરનો ખર્ચ સંભાળ્યો. આજે તે દીકરીઓ લગ્નિત છે અને પરિવાર સાથે ખુશહાલ જીવન જીવી રહી છે.

કાંજીયાસરે પોતાના જન્મદિવસે વૃદ્ધાશ્રમ અને બાલાશ્રમના પરિવાર સાથે નવયુગ કેમ્પસમાં ગરબા રમાડી, જમવડી, અને ગીફ્ટ આપ્યા, જે તેમની કરુણા અને લાગણી વ્યક્ત કરે છે. 10 વર્ષ પહેલા સ્વચ્છ ભારત અભિયાન દરમિયાન તેમણે પોતાના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ લીધો અને આજ સુધી આ કાર્ય અવિરત રીતે ચાલુ છે.

સામાજિક સેવા, રાષ્ટ્રસેવા અને કર્મચારીઓની કલ્યાણ માટે પણ કાંજીયાસર અનન્ય છે. તેમણે નવયુગ ગ્રુપના 350 જેટલા સ્ટાફ માટે ફુલ બોડી ચેકઅપ યોજ્યો, તંદુરસ્ત રહેવા માટે પ્રોત્સાહન આપ્યું, અને સતત સ્ટાફના જીવન વિકાસ માટે સેમિનાર યોજી રહેલા છે. દિવાળી, જમણવાર અને યાત્રા સહિતના વિવિધ સન્માન અને સહાયકાર્યોએ સ્ટાફને હંમેશા પ્રેરણા આપી છે.

શ્રીમતી રંજનબેન કાંજીયા દ્વારા સ્ટાફ માટે આયોજિત તીર્થયાત્રા અને સહાયક્રિયાઓ તેમની માનવીય ભાવના અને કાર્યપ્રેરણાને દર્શાવે છે. આ તમામ પ્રવૃત્તિઓ ન કેવળ કાંજીયાસર અને રંજનબેનના આત્મસન્માન માટે, પરંતુ સમાજ માટે પણ પ્રેરણારૂપ છે.

આપના જન્મદિવસ નિમિત્તે, અમારા સૌ-વતી, પ્રાણજીવનભાઈ કાંજીયા સાહેબ અને શ્રીમતી રંજનબેન કાંજીયા હંમેશા ખુશ, સ્વસ્થ અને સમૃદ્ધ રહે તે માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાન આપની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે.

RELATED ARTICLES

Most Popular