મોરબીમાં સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાના 226મા જન્મજયંતિ નિમિતે તા. 29 ને બુધવારના રોજ મોરબીમાં ભવ્યાતિભવ્ય જલારામ બાપાની શોભાયાત્રા અને દિવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગને લઇને મોરબીના રઘુવંશી પરિવારોમાં ઉમંગ અને ઉત્સાહનું વાતાવરણ છે. આ આયોજનને વધુ સફળ બનાવવા માટે જલારામ જયંતિ શોભાયાત્રા સમિતિ દ્વારા લોહાણા સમાજના આગેવાનો, હોદેદારો અને સભ્યોની મહત્વપૂર્ણ મીટીંગ બોલાવવામાં આવી છે.
આ મીટીંગ તા. 14મી ઓક્ટોબર, મંગળવારના રાત્રે 9:30 વાગ્યે મોરબી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે યોજાશે.
સમિતિએ લોહાણા સમાજની તમામ સંસ્થાઓ, મહિલા સંગઠનો, વેપારી મિત્રો, સમાજના શ્રેષ્ઠીઓ તેમજ કમિટી મેમ્બર્સને સમયસર ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો છે.

