રાજકોટ-મોરબી હાઈવે ઉપર જબલપુર ગામની સીમમાં ખજૂરા હોટલ નજીક માનસિક બીમારીને કારણે રખડતું ભટકતું જીવન જીવતા વિરમગામ તાલુકાના કરકથલ ગામના રહેવાસી 36 વર્ષીય નરેશભાઈ ઉર્ફે ટીનો જેણાજી બકરાણીયાનું પગમાં ઈજાઓ થતા લોહી વહી જવાથી મોત થયું હતું. ઘટનાની જાણ થતાં ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.




