વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલી સનહાર્ટ સિરામિક ફેક્ટરીના લેબર ક્વાર્ટર્સમાં રહેતા એક શ્રમિકે ઝેરી દવા પી લેતાં દુઃખદ અંત આવ્યો છે. મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વગડીયા ગામના વતની ગીગાભાઈ ભુપતભાઈ સીતાપરા (ઉંમર 35) એ 11 નવેમ્બરના રોજ અજાણ્યા કારણોસર ઝેર પી લીધું હતું.
ગીગાભાઈને તાત્કાલિક સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ આપઘાતના બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.




