મોરબી તાલુકાના આમરણ ગામથી ફાટસર ગામ જવાના રસ્તે 18 ઓક્ટોબરના રોજ બનેલા અકસ્માતમાં એક બાઈક સવારનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ જીજે-10-ડબ્લ્યુ-4202 નંબરની છકડો રિક્ષાના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી જીજે-10-ડીએલ-5991 નંબરના બાઈકચાલક મુબારકભાઈ અસગરભાઈ સેડાત (રહે. જોડિયા, જી. જામનગર) ને હડફેટે લીધો હતો.
આ અકસ્માતમાં મુબારકભાઈને ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ છકડો રિક્ષા ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાના 24 દિવસ બાદ મૃતકના પિતા અસગરભાઈ સેડાતે આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

