HomeGujaratમોરબી મનપાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા પકડેલ પશુઓ સાચવવા ૧૬ ગૌશાળા...

મોરબી મનપાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા પકડેલ પશુઓ સાચવવા ૧૬ ગૌશાળા સંચાલકો આવ્યા આગળ

મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ (ANCD) શાખા દ્વારા ટંકારા/હળવદ તાલુકાની ગૌશાળાના સંચાલકો સાથે કમિશનરના અધ્યક્ષ સ્થાને મીટિંગનું આયોજન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ મિટિંગમાં નાયબ કમિશનર સંજયકુમાર સોની, પશુપાલન અધિક્ષક, હળવદ વેટેનરી ઓફિસર, ટંકારા વેટેનરી ઓફિસર, ANCD વિભાગના શાખા અધ્યક્ષ હાજર રહયા હતા, આ મિટિંગમાં ટંકારા/હળવદ તાલુકાની ગૌશાળાના 16 સંચાલકો હાજર રહ્યા હતા. ગૌશાળા ના સંચાલકોઓએ અંદાજીત 55 પશુ રાખવા માટેની બાહેંધરી આપી હતી. માર્ચ 2025 થી આજદિન સુધી કુલ 2452 મોરબી મહાનગરપાલિકાની ANCD શાખાએ પશુ પકડેલ છે. આ પશુને Taging અને RFID લગાવીને મોરબી જિલ્લા ના હળવદ, ટંકારા, મોરબી, વાકાનેર તાલુકાના ગૌશાળા અને પાંજરાપોળ માં કાયમી સાચવણી માટે મૂકવામાં આવ્યા છે. મોરબી મનપાની ANCD શાખા દ્રારા નિયમિત પશુ પકડવાની કામગીરી કાર્યરત છે, તેમ મોરબી મહાનગરપાલિકાની ANCD શાખાની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે

RELATED ARTICLES

Most Popular