HomeGujaratમોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે 

મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે 

મોરબીના બાવરવા પરિવારના આંગણે ભારતની ભાગ્યવંત ભોમકા એવા બરવાળા ગામે બહુચર માં અને શિકોતર માતાજીના માતૃશક્તિના ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે.

મોરબીના બરવાળા ગામે તારીખ ૧૯-૦૨-૨૦૨૬ ને ગુરુવારના રોજ બહુચર માં અને શિકોતર માતાજીના મંદિરના શિલાપુજન સાંજના ૪:૩૦ કલાકે શ્રી દામજીભગત મહંત શ્રી મંદિર બગથળાવાળા તથા યજમાનશ્રીઓ દ્વારા કરવામાં આવશે. તેમજ આ કાર્યક્રમમાં શ્રી દામજીભગત મહંત શ્રી દ્વારા આશિર્વચન આપવામાં આવશે અને સાંજના ૭:૩૦ કલાકે મહાપ્રસાદનુ પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી આ કાર્યક્રમમાં પધારવા લોકોને બાવરવા પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Most Popular