HomeMorbiસુરેન્દ્રનગર પોલીસની પ્રશંસનીય કામગીરી: વ્યાજખોરોના ચુંગાલમાંથી સોનાના દાગીના છોડાવી મૂળ માલિકને પરત...
સુરેન્દ્રનગર પોલીસની પ્રશંસનીય કામગીરી: વ્યાજખોરોના ચુંગાલમાંથી સોનાના દાગીના છોડાવી મૂળ માલિકને પરત અપાવ્યા
Advertisement
Advertisement
અરજદાર અનિલભાઈ હિરાભાઈ પરમાર રહે.જે.પી.શેરી સુરેન્દ્રનગર નાઓએ સામાવાળાઓને ત્યા ગીરવે રાખેલ સોનાના દાગીના સામાવાળાઓ પાસેથી મેળવી અરજદારને પરત અપાવતી સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ.
અરજદાર અનિલભાઈ હિરાભાઈ પરમાર રહે.જે.પી.શેરી સુરેન્દ્રનગર નાઓ પોલીસ અધિક્ષકને રૂબરૂ મળી રજુઆત કરતા પોલીસ અધિક્ષક નાઓએ સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સ્પેકટરને સુચના આપતા અરજદારએ સામાવાળા જાલાભાઈ મેપાભાઈ બાંમભા રહે.જે.પી.શેરી સુ.નગર તથા હિતેશભાઈ સતાભાઈ ખરગીયા રહે.સર્વોદય સોસાયટી સુ.નગર વાળા નાઓને ત્યા ૩૫ તોલા સોનાના દાગીના ગીરવે મુકી પૈસા ઉછીના લીધેલ હોય તે પૈસા અરજદારે સામાવાળાઓને પરત આપી દીધેલ હોવા છતા સામાવાળા ઓ અરજદાર પાસે વધુ પૈસાની માંગણી કરતા હોય અરજદારના ૩૫ તોલા ગ્રામના સોનાના દાગીના કિ.રૂ.૫૧ લાખના સામાવાળાઓ પાસેથી મેળવી અરજદારને પરત અપાવી ત્વરીત ન્યાય અપાવેલ છે.
Advertisement
Advertisement