HomeMorbiમોરબીનો મચ્છુ-૩ ડેમ ૯૦% ભરાતાં ‘હાઇ એલર્ટ’: નદીપટના નીચાણવાળા ગામોને સાવધાન રહેવા...
મોરબીનો મચ્છુ-૩ ડેમ ૯૦% ભરાતાં ‘હાઇ એલર્ટ’: નદીપટના નીચાણવાળા ગામોને સાવધાન રહેવા તંત્રની કડક સૂચના
મોરબી જિલ્લામાં મચ્છુ-૩ જળાશયની જળસપાટીમાં સતત વધારો થતાં તંત્ર દ્વારા ‘૯૦% ભરાતા હાઇ એલર્ટ’ મેસેજ જારી કરવામાં આવ્યો છે. હાલ ડેમમાં ૬૬૨ ક્યુસેક પાણીની આવક (ઇનફ્લો) નોંધાઈ રહી છે, જેના કારણે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ગમે ત્યારે પાણી છોડવામાં આવી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદીના પટમાં તેમજ કાંઠા વિસ્તારમાં લોકોને અવરજવર ન કરવા અને અત્યંત સાવચેતી વર્તવા માટે અપીલ કરવામાં આવી છે.
તંત્ર એલર્ટ મોડ પર – નીચાણવાળા ગામોને ચેતવણી:
મચ્છુ-૩ ડેમમાં પાણી છોડાવાની શક્યતાને પગલે માળિયા અને મોરબી તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળિયા, સાદુળકા, માનસર, રવાપર (નદી), અમરનગર, ગુંગણ, નાગડવાસ, બહાદુરગઢ અને સોખડા, તથા માળિયા તાલુકાના દેરાળા, મહેન્દ્રગઢ, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવિદરકા, ફતેપર, માળિયા(મી), હરિપર સહિતના ગામોમાં પરિસ્થિતિ અનુસાર યોગ્ય કાર્યવાહી કરવા ફ્લડ કંટ્રોલ સેલ અને વહીવટી તંત્રને સુચના આપી દેવામાં આવી છે.