કચ્છના રાપર તાલુકાના રહેવાસી ૩૦ વર્ષીય દર્દીને ખેતરમાં પડી જતા પગ ધ્રુજવા, હાથ ધ્રુજવા, હાથમાં ખાલી ચડવી, ગરદનમાં દુઃખાવા સહિતની સમસ્યા થઇ રહી હતી. ત્યાંની સ્થાનિક હોસ્પિટલમાં બતાવવા છતાં કોઈ રાહત થઇ ન હતી. જેથી તેમણે અંતે મોરબીની આયુષ હોસ્પિટલનો સહારો લીધો હતો. જ્યાં, તેમના રિપોર્ટ કરતા જાણવા મળ્યું હતું કે ગરદનના 5 અને 6 આ બન્ને મણકાની ગાદી ખસી ગઈ હોવાથી આ તકલીફ સર્જાઈ હતી.
ન્યૂરોસર્જન ડૉ.પ્રતિક પટેલ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું અને દર્દીને હાલમાં દુખાવામાં ખૂબ જ રાહત છે.
આ સફળ સર્જરી માટે દર્દીએ હોસ્પિટલના તમામ સ્ટાફ અને ડોકટરોનો આભાર વ્યકત કર્યો હતો.




