મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતા કુલદીપભાઈ વિઠ્ઠલભાઈ ખીમાણીયા (ઉં. 19) ગત તા.21ના રોજ મંદિરનો સામાન ધોવા માટે તળાવ કાંઠે ગયા હતા. આ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી અને પગ લપસી જતા તેઓ તળાવમાં પડી ગયા હતા. તળાવમાં ડૂબી જતાં તેમનું મોત નીપજ્યું હતું. યુવાનનું આ રીતે અચાનક મોત થતા વવાણીયા ગામ સહિત સમગ્ર વિસ્તારમા શોકની લાગણી પ્રસરી ગઇ હતી.
આ બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધ્યો છે અને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવથી પરિવારના સભ્યો અને ગ્રામજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.




