વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટી વિસ્તારમાં આવેલા જલારામ નગર-1માં રહેતા દિલશાન ઉમરદીનભાઈ મીરાશી (ઉં.17) નામના સગીરે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતાં વાંકાનેર સીટી પોલીસે સ્થળ પર પહોંચી અકસ્માતે મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.