HomeGujaratહળવદના રણજીતગઢ ગામે કેનાલના પાણીમાં ડૂબી જતા સગીરાનું મૃત્યુ 

હળવદના રણજીતગઢ ગામે કેનાલના પાણીમાં ડૂબી જતા સગીરાનું મૃત્યુ 

હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમમાં આવેલ કેનાલના પાણીમાં ડૂબી જતા સગીરાનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે મળતી માહિતી મુજબ મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમમાં કાળુભાઈ મોહનભાઈ ચૌહાણ ની વાડીએ રહેતા લેખકાભાઈ ઠુંગિયાભાઈ વસાવે‌ ની સોળ વર્ષીય દીકરી રવિનાબેન નામની સગીરા રણજીતગઢ ગામની સીમમાં આવેલ કેનાલના કાઠે બેસીને ફોનમાં વાત કરતી હોય તે દરમિયાન ફોન કેનાલમાં પડી જતા સગીરા ફોન લેવા જતા લપસી જતા કેનાલમાં પડી જતા પાણીમાં ડૂબી જતા રવિનાબેન નામની સગીરાનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular