HomeMorbiસૌરાષ્ટ્રને અલગ રાજ્યનો દરજ્જો આપવા મોરબીથી ઉઠી માંગ; ગાંધીનગરનું ભારણ ઘટશે અને...
સૌરાષ્ટ્રને અલગ રાજ્યનો દરજ્જો આપવા મોરબીથી ઉઠી માંગ; ગાંધીનગરનું ભારણ ઘટશે અને વહીવટ સુધરશે તેવી રજૂઆત
મોરબી; ગુજરાતના વિકાસ મોડેલમાં મોખરાનું સ્થાન ધરાવતા સૌરાષ્ટ્ર પંથકને હવે એક ‘અલગ સૌરાષ્ટ્ર રાજ્ય’ તરીકે જાહેર કરવામાં આવે તેવી માગણી સાથે મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મેહતા દ્વારા સીધા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ અંગેનો એક સત્તાવાર પત્ર વડાપ્રધાન કાર્યાલય (PMO) નવી દિલ્હી ખાતે મોકલવામાં આવ્યો છે, જેને પગલે સ્થાનિક રાજકારણ અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
રજુઆતમાં જણાવ્યું છે કે “અલગ સૌરાષ્ટ્ર રાજય” આપવુ. દાખલા તરીકે મોરબીનો દાખલો લેવામાં આવે તો એક સીરામીક ઉદ્યોગ આશરે દસ હજાર કરોડોનો ટેકસ ભરે છે, તેવુ જાણવા મળે છે. તેવી જ રીતે રાજકોટ, ભાવનગર, પોરબંદર, જામનગર, ધોરાજી તથા અન્ય નાના-મોટા શહેરમાં ઘણાં બધા ઉદ્યોગો ચાલી રહ્યા છે અને ટેકસ ભરે છે ને પોતાના પગભર ઉભા છે. સૌરાષ્ટ્રના ઘણા બધા પ્રશ્નો જેવા કે, રાજકીય, ઉદ્યોગને લગતા, કારીગરને લગતા, વિદ્યાર્થીને લગતા તથા શિક્ષણને લગતા પ્રશ્નો છે. આ યુગમાં ગાંધીનગર જવાથી સમય અને શકિત તેમજ આર્થિક સ્થીતીને ધ્યાનમાં લઈ ને “અલગ સૌરાષ્ટ્ર રાજય હોય તો” ગાંધીનગરનો ઘણો ભાર હળવો થઈ જાય. ભુતકાળમાં ઢેબરભાઈનાં વખતમાં અલગ સૌરાષ્ટ્ર રાજય હતું. નાનું રાજય હોય તો વહિવટ અને વ્યવસ્થા સારી રહે. આપએ નાના-નાના તાલુકા અને જીલ્લા બનાવ્યા તેથી ઘણી રાહત થઈ ગઈ છે. તો આપ અલગ સૌરાષ્ટ્ર બનાવો તો સૌરાષ્ટ્રનો વિકાસ થાય. આ કાર્ય વિકાસસીલ ભારતમાં આપ કરી શકો છો, તેવી પ્રજાને ખાત્રી છે. તો આ બાબત અલગ સૌરાષ્ટ્ર બનાવો તેવી સૌરાષ્ટ્ર વાસીઓની વર્ષો જુની ઇરછા પુરી થાય.