મોરબી શહેરમાં અવની ચોકડી પાસે આવેલી મયુર સોસાયટીમાં રહેતા જગજીવનભાઈ ભીમજીભાઈ અઘારા (ઉ.વ.75) નિવૃત શિક્ષકને પોતાના ઘેર હાર્ટએટેક આવતા પડી ગયા બાદ બેભાન થઈ ગયા હતા જેથી તેને પ્રથમ ખાનગી હોસ્પિટલમાં અને બાદમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી હતી.




