કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો મોરબીમાં વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યાં ધર્મ જોઇને ગોળીઓ મારી હોય તેથી ધર્મ જોઇને ખરીદી સહીતના વ્યવહાર કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.
મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો.
દરબારગઢ ચોક, નહેરૂગેઇટ ચોક, રવાપર રોડ, જેલ રોડ, વઘપરા સહિતના વિસ્તારમાં “ધર્મ જોઈને સામાન ખરીદી કરો, આ દુકાન હિન્દુ છે” તેવા પોસ્ટર-સ્ટીકર લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને બેનર અને પત્રીકાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.




