કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ ગેરકાયદે રીતે ભારતમાં ઘુસણખોરી કરી વસવાટ કરતા લોકો વિરુદ્ધ મોરબી જીલ્લા પોલીસે ડ્રાઈવ યોજી હતી. આ ડ્રાઇવ દરમિયાન મોરબી જિલ્લામાં ગેરકાયદે વસવાટ કરતા દસ જેટલા બાંગ્લાદેશી નાગરિકોને ડીટેઇન કરવામાં આવ્યા છે.
મોરબી જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદે રીતે ભારતમાં ઘુષણખોરી કરી વસવાટ કરતા લોકો બાબતે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ડ્રાઈવ દરમ્યાન મોરી જીલ્લા પોલીસની અલગ અલગ 53 ટીમો બનાવી મોરબી સોની બજાર, હોટલ, સ્પા તેમજ મજુર વસાહતોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ. જે ચેકીંગ દરમ્યાન 1500 જેટલા શખ્સો, 70 હોટલ, 24 ધાબા, 48 સ્પા ચેક, 13 ગેસ્ટ હાઉસ, 9 ફાર્મહાઉસ, 24 મદ્રેશા/દરગાહ/ધર્મશાળા તેમજ 300 જેટલા ઉદ્યોગીક કંપનીના મજુરો, 35 જેટલી મજુર વસાહત, 3 શૈક્ષણીક સંકુલ સહિતના સ્થળો પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ આ દરેક શખ્સોના ડોકયુમેન્ટ તથા જરૂરી આધાર પુરાવા વેરીફાઈ કરવા માટે 27 જેટલા બી રોલ ભરવામાં આવ્યા છે તેમજ શંકાસ્પદ શખ્સોના આધાર પુરાવાની ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ ડ્રાઈવની કાર્યવાહી આગળના દિવસોમાં પણ ચાલુ રાખવામા આવશે.
મોરબી જીલ્લા પોલીસ દ્વારા મોરબી જિલ્લામાં ગેરકાયદે વસવાટ કરતા 10 જેટલા બાંગ્લાદેશી નાગરીકોને ડીટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ ભારતમાં ગેરકાયદે ઘુષણખોરી કરી વસવાટ કરતા લોકો બાબતે કોઈ માહિતી હોય તો મોરબી પોલીસ કંટ્રોલરૂમ નં-૭૪૩૩૯ ૭૫૯૪૩ અથવા એસ.ઓ.જી. કચેરીના મો.નં-૭૦૯૬૨ ૬૩૯૯૯ માં સંપર્ક કરી જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.




