મોરબી તાલુકાના રાજપર ગામે આવેલી સદગુરુ કોટન મિલમાં કામ ક૨તા અને મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની લોકેશભાઈ વેસ્તાભાઈ સોલંકી (ઉ.વ.28) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર મજૂરની ઓરડીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.




