હળવદમાં રહેતા વેપારીએ પોતાની રિવોલ્વરથી પોતાને જ માથામાં ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ કૃત્ય બાદ વેપારીને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, હળવદના રહેવાસી બકાભાઈ ઠક્કર નામના ૬૦ વર્ષીય વેપારીએ પોતાની રિવોલ્વરથી પોતાના પર જ ફાયરીંગ કર્યું હતું અને ગોળી માથામાં લાગતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જેથી તેમને અમદાવાદ સારવાર માટે ખસેડાયા હતા. પોતાની જાતે ગોળી મારી આપઘાતનો પ્રયાસ કરનાર વેપારી પોતાની મરજીથી મરી રહ્યા હોવાની ચિઠ્ઠી પણ પોલીસને પ્રાપ્ત થઇ છે.
જો કે, આપઘાતનો પ્રયાસ કરનાર ભવાની ગ્રુપના વેપારી બકાભાઈ ઠક્કરે આવું પગલું કેમ ભર્યું તે ચર્ચાએ શહેરભરમાં જોર પકડ્યું છે.




