મોરબીના શક્ત શનાળા ગામે આવેલા તળાવમાં ન્હાવા ગયેલા અમિત ગોપાલભાઈ કાનાણી (ઉ.વ.8) નામના માસૂમ બાળકનું તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. જેથી બાળકના પરિવારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.
આ કરુણ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.




